Bachelor of Science (B.Sc.) is a three-year undergraduate degree course. It is one of the most sought-after degree courses among science students after completing 12th Standard. It is a foundation course for students who wish to pursue higher education (M.Sc. or PhD) or a career in basic sciences. At Shrimad Rajchandra Vidyapeeth, full-time B.Sc. is offered in various subjects such as Botany, Chemistry and Microbiology. A candidate must pass the 12th Standard (H.S.C.) Examination through the Gujarat Higher Secondary Education Board (G.H.S.E.B.) or any other recognised equivalent board (such as CBSE, ICSE) to be eligible for admission in a B.Sc. course. The candidate also should have had core science subjects like Physics, Chemistry, Biology and Mathematics in their 12th Standard.
સમૃદ્ધ વર્ગખંડમા નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ નો અભ્યાસ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક કુશળતા વધારે છે જેમ કે ડેટા વિશ્લેષણ, સમસ્યા હલ કરવાની રીત અને વિવેચનાત્મક વિચારસરણી, જે એકંદર વૈજ્ઞાનિક મન નો વિકાસ કરવામાં મદદ કરે છે. ભણતર નું વાતાવરણ દરેક વિદ્યાર્થી વિકાસ અને સર્વાંગી રીતે પ્રેરિત કરે છે.
વ્યવહારિક પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિક ખ્યાલોની સમજ વિકસાવવા માટે અદ્યતન પ્રયોગશાળાઓમાં સૈદ્ધાંતિક સમજ વિવિધ પ્રયોગો દ્વારા સમજાવવામાં આવે છે. આવા અનુભવ ભવિષ્યમાં નવીનતા અંકુરિત થવાની સંભાવના સાથે વિચાર ના બીજ વાવે છે.
સૈદ્ધાંતિક માહિતી વાસ્તવિક દુનિયામાં કેવી રીતે લાગુ કરવામાં આવે છે તેનો અનુભવ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક મુલાકાતો અને ઇન્ટર્નશીપ્સનું આયોજન કરવામાં આવે છે જેથી તેઓ સિદ્ધાંતિક મુદ્દા નું અમલીકરણ વાસ્તવિક જીવનમાં સમાજના હિત માટે કેવી રીતે કરી શકાય તેનો પ્રાથમિક અનુભવ મેળવે છે .
*વિશિષ્ટ અભ્યાસક્રમની મુલાકાત લઈ કારકિર્દીની વધુ તકો વિશે જાણો
B.Sc. at
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ
Academic Year 2026 – 2027
પ્રવેશ પૂછપરછ





“
આૈદ્યોગિક મુલાકાત દ્વારા ઉદ્યોગોની કાર્યપદ્ધતિ, કંપનીમાં કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતોની જાણ થઈ. અમે વિવિધ વિભાગના લોકો સાથે પણ વાતચીત કરી. કૉલેજ દ્વારા આયોજિત આ આૈદ્યોગિક મુલાકાત દ્વારા મને ઘણી નવી વાતો શીખવા અને સમજવા મળી.

“
શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં વિતાવેલ ત્રણ વર્ષ મારા જીવન પરિવર્તન અણનારા બની રહ્યા છે....
મેં જોયું છે કે આ વર્ષોમાં મારામાં વાતચીત, સંચાલન, નિર્ણય શક્તિ અને નેતૃત્વ જેવા ગુણો ખીલ્યાં છે.
મેં અને મારાં મિત્રોએ કોલેજજીવન સંપૂર્ણપણે માણ્યું છે..... હું શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠનો એક ભાગ છું તેનો મને ગર્વ છે.

“
શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં લેવાતાં સોફ્ટ સ્કીલ અને લાઈફ સ્કીલ સત્રોએ મારામાં સકારાત્મક વિચારો પેદા કર્યાં છે, જે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં જરૂર લાભકારક થશે.

“
શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠમાં અમને અભ્યાસક્રમ ઉપરાંત યોગા, રમતગમત અને સપ્તધારા જેવી બીજી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અમને યુનિવર્સિટી અને અન્ય કોલેજોમાં યોજાતા વિવિધ સેમિનારો, સંમેલનો અને સ્પર્ધાઓમાં વારંવાર ભાગ લેવા મળે છે. એક રાજ્યકક્ષાએ યોજાયેલ સેમિનારમાં અમારી ટીમને શ્રેષ્ઠ પોસ્ટર પ્રેઝંટેશનનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આના સિવાય હું એન.એસ.એસ. પ્રવૃત્તિઓ અને એન.એસ.એસ. દ્વારા મળેલ જીવન ઘડતરના અનુભવો હંમેશા યાદ રાખીશ.

